મ્હારાં સૉનેટ –૪
સુંદરમ્ ને.*
(ઉપજાતી)
સંશોધવા અક્ષય તત્વ જે ધ્રુવ,
મથી રહ્યા જીવન, કાવ્ય માંહે;
એ મંથનેથી પ્રગટી સુ‘મંગલા’
શી કાવ્ય કેરી અપરુપ નીર્જરી !
તો યે હજી પ્રશ્ન રહ્યો અનુત્તર.
એ પામવા–
વસુંધરા ઘુમી વળ્યા સ-ચીંતને,
ને પામીયા રે‘વસુધા’નું દર્શન.
એ દીવ્યનાં દર્શન કેરી ‘યાત્રા’
પુર્ણત્વને પામી; અને તમેયે
પામી ગયા ‘ક્યાં ધ્રુવ?’ નો જ ઉત્તર.
યાત્રા કરું હું વસુધાની મંગલા
બેસી પ્રણય પાવડીએ….
પામી શકું એ ધ્રુવ ધન્ય,ધન્ય !
૧૪-૮-’૬૭. –જુગલકીશોર.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
એમ.એ.ના અભ્યાસ દરમીયાન સુંદરમ્ નાં કાવ્યો પરના મહાનીબંધ વેળાએ રચાયેલુ.


