સૉનેટ વીષે લખતાં લખતાં મને મારાં સૉનેટ યાદ આવતાં જ રહ્યાં હતાં ! સીદી ભાઈને એનાં સીદકાં–સૉનેટડાં કેમ, વ્હાલાં ન હોય ?
અહીં મારા આ મૌલીક રચનાઓના બ્લોગ પર કેટલાંક સૉનેટ મુકું છું ખરો પણ એની સાહીત્યીકતા અગે સાવ સ્પષ્ટ છું ! અને એટલે જ એને સૉનેટડાં જ કહીશ. મ્હારાં એ શબ્દ એ જમાનાનો છે જ્યારે સૉનેટના ધુરંધર સાહીત્યકારો મારાં ને બદલે મ્હારાં લખતા હતા !
કહેવાની ભાગ્યે જ જરુર હોય કે આ સૉનેટડાંની મુલવણી કરવાની રહેતી નથી !!
જુગલકીશોર.
(ઉપજાતી)
બ્રહ્માંડની દીવ્ય અનંત વાટમાં
આત્મા બન્યો યાત્રીક મુક્તી-લક્ષનો;
ને માર્ગમાં સાધન દેહનું કર્યું.
આત્મા બન્યો યાત્રીક મુક્તી-લક્ષનો;
ને માર્ગમાં સાધન દેહનું કર્યું.
છે આત્મ તો મુક્તવીહારી વીશ્વે
વ્યાપી રહ્યો સર્વ સ્થલે સ્થલે જે;
આ દેહ તો સાધન માત્ર આત્મનું-
જેને સદા બંધન કોટી કોટી
ને આત્મ તો બંધન સર્વથી પર !
વ્યાપી રહ્યો સર્વ સ્થલે સ્થલે જે;
આ દેહ તો સાધન માત્ર આત્મનું-
જેને સદા બંધન કોટી કોટી
ને આત્મ તો બંધન સર્વથી પર !
અનંત યાત્રા, નહીં અંત કાલનો
ને દેહ આ ક્ષુદ્ર, મરે ક્ષણોમાં.
ને દેહ આ ક્ષુદ્ર, મરે ક્ષણોમાં.
દેહો પરીવર્તન વસ્ત્રનું કરે,
આત્મા પરીવર્તન દેહનું કરે !
આત્મા પરીવર્તન દેહનું કરે !
ક્યારે શરુ આ થઈ દીવ્ય યાત્રા ?
ક્યારે થશે પુર્ણ ? ન કોઈ જ્ઞાતા !


