મારા સમગ્ર અસ્તિત્વને
હચમચાવી મૂકનારી,
એના વિના ડગલું ય ન ભરી શકવાના
મારા ઓશિયાળાપણાને
બહેકાવી મૂકનારી,
ને છતાં
સદાય ને સતત એનામય જ રહેવાના વ્યસનને
આજીવન ચગળતા રહેવાના-
ગમતિલા એવા
જીવનના તદ્દન પાયાના વ્યવહારોમાં જ મને
રમમાણ કરી મૂકનારી,
હે પ્રિયે !
ભવોભવનું ન છૂટનારું તારું બંધન
હા, બંધન, જ
મને તારાથી અલગ થવા
કોઈ એવી તાકાત આપે જે
મને છોડાવે,
તારાથી,
હા, તારાથી જ,
ઈચ્છાડી !!
–જુગલકિશોર.


